રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ડિજિટલાઇઝેશન થકી નવતર પહેલ
ધોરણ-૧૦,૧૨ના ચાર કરોડથી વધુ વિદ્યાર્થીઓના દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન
સંપન્ન
ધોરણ-૧૦,૧૨ના વિદ્યાર્થીઓ ઘરે બેઠા ડુપ્લીકેટ ગુણપત્રક, પ્રમાણપત્ર મેળવી શકશે:
આ પ્રકારની સેવાઓ વિદ્યાર્થીઓ માટે લાભદાયી: શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ
ચુડાસમા
વર્ષ ૧૯૫૨ થી અત્યાર સુધીના કોઈપણ વર્ષના ઓલ્ડ એસ.એસ.સી સહિત ધોરણ-૧૦,૧૨ ના ડુપ્લીકેટ ગુણપત્રક, પ્રમાણપત્રો
ઓનલાઇન અરજી દ્વારા મેળવી શકાશે
શિક્ષણ ક્ષેત્રે ડિજિટલાઇઝેશન
..૨..
વિદ્યાર્થીઓ-અરજદારો બોર્ડે
તૈયાર કરેલ એપ્લિકેશન અથવા બોર્ડની વેબસાઇટ પરથી અરજી કરી શકશે. આ અરજી ચકાસીને જે
તે પ્રમાણપત્ર તૈયાર કરી ત્રણ દિવસમાં વિદ્યાર્થીના સરનામે પોસ્ટ કરી દેવામાં આવશે.
જેથી વિદ્યાર્થીઓ અરજદારો ને ઘરે બેઠા પ્રમાણપત્રો મળી શકશે. આ ઓનલાઇન પ્રક્રિયાના
કારણે વાર્ષિક અંદાજિત ૫૦ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને જરૂરી દસ્તાવેજ મેળવવા માટે
થતા આવન-જાવન ખર્ચ અને સમયમાં બચત થશે. દસ્તાવેજોનું ડિજીટલાઇઝેશન થવાને કારણે રેકર્ડ
ત્વરિત- સરળતાથી કમ્પ્યુટર મારફતે શોધી અરજદારોને મોકલી શકાશે. આ રેકર્ડ ડિજિટલાઇઝ
હોવાથી આગ, પાણી, ઉધઈ જેવી કુદરતી આપત્તિથી સુરક્ષિત
રહેશે.