રાજયના
નાણા વિભાગના નાયબ સચિવ (પેન્શન અને તિજોરી) કે.ડી. સુથારની સહીથી સરકારે
તા. ર૦-૧૦-ર૦૧૪ના રોજ નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત સરકારી
નોકરીયાતોને નિવૃતિ-અવસાન વખતે જમા રજાનું રોકડમાં રૂપાંતર થવા બાબતે
પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે.
પરિપત્રમાં
જણાવાયું છે કે ભારત સરકારના તા. ર૧-૪-ર૦૦૪ના ઓફીસ મેમોરેન્ડમના મુદ્દા
(૧) થી અપાયેલ સ્પષ્ટતા મુજબ, રાજય સરકારમાં તા. ૧-૪-ર૦૦પ પછી નિમણૂંક
પામેલ કર્મચારી/અધિકારીઓ, જેઓને નવી વર્ધિત પેન્શન યોજના (એનપીએસ) લાગુ છે
તેમને ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ર૦૦રના નિયમો મુજબ જ તેઓને
નિવૃતિ/અવસાન સમયે જમા રજાનું રોકડમાં રૂપાંતર નિયમોનુસાર મળવાપાત્ર થશે
તેમજ તા. ૧-૪-ર૦૦પ પછી રાજય સરકારમાં નિમણૂંક પામેલ કર્મચારી/અધિકારીઓ કે
જેઓ રાજય/કેન્દ્ર સરકારની બીજી નોકરીમાં જોડાય અથવા કેન્દ્ર સરકારની
એન.પી.એસ. યોજના હેઠળ નિમણૂંક પામેલ કર્મચારી/અધિકારી જો રાજય સરકારની
સેવામાં જોડાય તો તેઓની ઉકત બન્ને સેવા માત્ર રજાના હેતુ માટે સળંગ ગણી
તેને પણ નિવૃતિ/અવસાન સમયે રજાનું રોકડમાં રૂપાંતર નિયમાનુસાર મળવાપાત્ર
થશે. રાજય સરકારમાંથી બોર્ડ-નિગમમાં કે બોર્ડ નિગમમાંથી રાજય સરકારમાં
જોડાતા કર્મચારીઓને આ લાભ મળવાપાત્ર રહેશે નહિ તે.