રાજ્યના કર્મચારીઓ આનંદો... મકાન બાંધવા હવે મળશે ૧૫ લખ : કાર ખરીદવા હવે ૨.૫ને બદલે ૫ લાખ મળશેરાજયના સરકારી કર્મચારીઓને મકાન કે વાહન ખરીદવા માટે અપાતી પેશગી (એડ્વાન્સ)ની રકમમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓને નવું મકાન ખરીદવા માટે હવે ૧૫ લાખ અને નવી કાર ખરીદવા માટે ૫ લાખ સુધીની રકમ પેશગી પેટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના નાણાં વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર આદેશો પણ કરી દેવાયા છે.
   પેશગી  : મકાન બાંધવા ૭.૫ ને બદલે ૧૫ લાખ, કાર ખરીદવા ૨.૫દ્ગચ બદલે ૫ લાખ મળશે
   નાણાં વિભાગે બહાર પાડેલા ઠરાવ પ્રમાણે સરકારી કર્મચારીઓને હાલ મકાન બાંધકામ માટે ૭.૫૦ લાખ રૂપિયા પેશગી તરીકે અપાય છે. જે વધારીને ૧૫ લાખ કરવામાં આવ્યા છે. નવા મકાન કે ફ્લેટના બાંધકામ કરવાના હેતુ માટે કર્મચારીના છઠ્ઠા પગારપંચના ધોરણે ૫૦ માસિક મૂળ પગાર અથવા મકાનની અપેક્ષિત કિંમત અથવા ૧૫ લાખ એ ત્રણમાંથી ઓછી હોય તે રકમ અપાશે.
   આ ઉપરાંત વાહન ખરીદી માટે પણ પેશગીની રકમ બમણી કરાઇ છે. અત્યારસુધી મોટરસાઈકલ પેશગી મહત્ત્।મ ૩૦ હજાર રૂપિયા અને મોટરકાર માટેની પેશગી ૨.૫૦ લાખ રૂપિયા સુધી અપાતી હતી જેના બદલે હવે મોટરસાઈકલ માટે કર્મચારીના મૂળ છ પગાર અથવા વાહનની કિંમત અથવા રૂ.૬૦ હજારમાંથી ઓછી હોય તે રકમ તેમજ મોટર કાર માટે રૂ.૫ લાખ મંજૂર કરવાનો નિર્ણય લેવાયો છે. વાહન ખરીદી ખર્ચમાં થયેલા વધારાને ધ્યાને લઇને સરકાર દ્વારા પેશગીમાં બમણો વધારો કરીને કર્મચારીઓને ખુશ કરવાનો પ્રયાસ કરાયો છે. શિક્ષણની નવી નીતિ માટેનું મંથન રાજય સરકારે હાથ ધર્યું
   કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણની નવી નીતિ લાવવામાં આવી રહી છે. આમાં નક્કી કરાયેલા ૨૩ જેટલા મુદ્દાઓ પર અભિપ્રાયો આપવા માટે રાજય સરકારોને કેન્દ્ર સરકારે તાકીદ કરી છે. આથી ગુજરાત સરકાર દ્વારા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓથી લઇને ધારાસભ્યો તેમજ પ્રાથમિક સ્કૂલથી યુનિવર્સિટીઓના નિષ્ણાંતોના અભિપ્રાયો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ પ્રથા સામે અનેક વિવાદો ચાલે છે. કેન્દ્ર સરકારે પણ નવી શિક્ષણ નીતિ લાવવાની ગતિવિધિ હાથ ધરી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ૨૩ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે.
      મકાન રિપેરિંગની રકમ પણ બમણી
      મકાન મરામત પેશગીની રકમ પણ બમણી કરવામાં આવી છે. મકાન મરામત માટે રૂ.૧ લાખ સુધીની પેશગીની રકમ અપાતી હતી જયારે હવેથી ૪૦ માસિક પગાર અથવા રૂ.૨ લાખ પૈકી જે રકમ ઓછી હોય તે મંજૂર કરવામાં આવશે.
      ૫.૫ લાખ કર્મચારીઓ લાભ મળશે
      સત્તાવાર આંકડા મુજબ, વિવિધ સરકારી ખાતાઓમાં કુલ ૧,૯૩,૭૮૯ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. સરકાર સહાયિત સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રોમાં કુલ ૫,૫૭,૧૦૨ કર્મચારીઓ છે. દ્યર અને વાહન ખરીદવા પેશગીની રકમ વધારાનો લાભ તબક્કાવાર અપાશે.