માસ CL પર ગયેલા કર્મચારીઓની સર્વિસ બ્રેક ગણવામાં નહીં આવે
માસ CL પર ગયેલા કર્મચારીઓની સર્વિસ બ્રેક ગણવામાં નહીં આવે
અમદાવાદ, બુધવાર
૨૦૧૨નાં વર્ષ દરમિયાન માસ સીએલ પર ગયેલા કર્મચારીઓનો પગાર કાપી લેવાયો
હતો. તેમજ 'બ્રેકીંગ સર્વિસ' કરી દેવાઈ હતી. પરંતુ કર્મચારીઓનાં એસોસિએશનની
અવારનવારની રજૂઆતો અને મીટીંગને પગલે આખરે સરકારે માસ સીએલ પર ગયેલા તમામ
કર્મચારીઓની સર્વિસ 'બ્રેકીંગ' ગણવામાં નહીં આવે તેવો નિર્ણય કર્યો છે.
ઉપરાંત તેમનો કાપી નાખવામાં આવેલો પગાર પણ પરત ચૂકવી દેવાશે. બાકી રહેલા
પડતર પ્રશ્નોનું નિરાકરણ પણ આગામી દિવસોમાં લાવી દેવાશે.
પોતાની વિવિધ માગણીઓ નહીં ઉકેલાતા ચાર લાખથી વધુ સરકારી કર્મચારીઓએ માસ
સીએલ કરી હડતાલ પાડી હતી. જેમાં સચિવાલયનાં કર્મચારીઓ જોડાયા નહોતા.
ત્યારબાદ સરકારે પણ કર્મચારીઓને નુકસાન થાય તેવો આકરો નિર્ણય કર્યો હતો.
સરકાર સામે રજૂઆત કરવા માટે સરકાર માન્ય વિવિધ મંડળો, મહામંડળો અને
મહાસંઘોનો સંયુક્ત મોરચો એ બધા એ ભેગા થઈને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી
મોરચો બનાવ્યો હતો.
મોરચાના હોદ્દેદારો દ્વારા સરકારમાં રજૂઆતો કરાતી હતી. જેના સંદર્ભમાં
૨૨મી માર્ચે સિનિયર મંત્રીઓની મીટીંગ મળી હતી અને કર્મચારીઓમાં પડતર
પ્રશ્નો અંગે હકારાત્મક વલણ દાખવવાનું નક્કી થયું હતું. જેના ભાગ રૃપે માસ
સીએલ પર ઉતરેલા કર્મચારીઓને તેનો કપાયેલો પગાર તો ચૂકવી જ દેવાશે પરંતુ
સાથે તેની સર્વિસ પણ બ્રેક કર્યા વગરની સળંગ જ ગણાશે.
ઉપરાંત રજા પ્રવાસ રાહતનાં ઠરાવની વિસંગતતા દૂર કરી રોકડ એસીની
મુસાફરીનો લાભ ચાલુ રખાયો છે. સૌતી મહત્વનું કર્મચારીઓની ખાતાકીય
પરીક્ષામાંથી માઇનસ પધ્ધતિ દૂર કરવા અંગેનાં જરૃરી હુકમો પણ કરી દેવાયા છે.
હવે બાકી રહેલા કેટલાક પ્રશ્નો અંગે મોરચાની સરકાર સાથે વાટાઘાટો થશે.
સંયુકત મોરચાએ સરકારનાં નિર્ણયને આવકાર્યો છે.http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gujarat-government-employees