પાંચ નાયબ સચિવને બઢતી અપાઈ

 રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ અને રાહત કમિશનર ડી.એન. પાંડે પાસેથી રાહત કમિશનર તરીકેનો ચાર્જ પરત લીધો છે. તેમના સ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સી.ઓ.અંજુ શર્માને રાહત કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

અા ઉપરાંત શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ વાય.બી.પટેલ, ઉદ્યોગ વિભાગના નાયબ સચિવ એસ.એમ.ડામોર, નાણા વિભાગના નાયબ સચિવ ડી.એન.એરડા, મધ્યાહન ભોજન યોજના કચેરીમાં સંયુક્ત કમિશનર ઈ.પી.દેસાઈ, જેન્ડર રિસર્ચ સેન્ટરના નિયમાક ડી.પી.કાપડિયાનો સમાવેશ થાય છે. તેમને, તેમની હાલની જગ્યાઓને સંયુક્ત સચિવના પગાર ધોરણમાં અપગ્રેડ કરીને તે જ જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લી. (GSPCL)ના મેનેજિંગ ડિરેકટર પદે કાર્યરત 1985 બેચના આઈએએસ અધિકારી અતાનુ ચક્રવર્તીને ભારત સરકારે

ડાયરેકટર જનરલ ઓફ હાયડ્રોકાર્બન્સ (DGH)ના ડાયરેકટર જનરલ તરીકે

નિયુક્ત કર્યા છે અને તેમના સ્થાને નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ
જે.એન.સિંઘને GSPCLના મેનેજિગ ડિરેકટર પદનો વધારાનો હવાલો સોંપાયો છે.